સ્વ. દિલીપ કુમારના દિગ્દર્શનની ફિલ્મ કંલિગા રિલીઝ થાય તેવી શક્યતા
દિલીપ કુમારનું ૭ જુલાઇના રોજ અવસાન થયું હતું. તેમની દિગ્દર્શિત ફિલ્મ કલિંગાને રિલીઝ કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ૧૯૯૨માં ફિલ્મ નિર્માતા સુધાકર બોકાડેએ દિલીપ કુમારને ફિલ્મ દિગ્દર્શન કરવા માટે મનાવી લીધા હતા. તેમણે ત્યારે ફિલ્મ કલિંગાની ઘોષણા કરી હતી. જેમાં દિલીપ કુમાર, અમજદ ખાન, રાજ બબ્બર, રાજ કિરણ, શિલ્પા શિરોડકર, મીનાક્ષી શેષાદ્રી જેવા કલાકારો હતા. તેમજ સંગીત કલ્યાણજી-આનંદજીનું હતું. ફિલ્મનું મોટા હિસ્સાનું શૂટિંગ પુરુ થઇ ગયું હતું. જાેકેઆ પછી ફિલ્મનુ ંકામકાજ અટકી ગયું હતું. ફિલ્મ માંધાતાઓ વચ્ચે મતભેદો થતા ફિલ્મને બંધ કરી દેવામાં આવી હતી. આ ફિલ્મના રાઇટ્સ હવે સંગીતાઅહિર પાસે છે. તેનું કહેવું છે કે આ ફિલ્મના આઠ કલાકના ફૂટેજ છે જેને સંપાદિત કરીને ફિલ્મ અથવા સીરીઝ તરીકે પ્રસારિત કરી શકાય એમ છે. હાલ સંગીતા આ ફિલ્મ પર કામ કરી રહી છે અને તેના પ્રયાસ છે કે દિલીપ કુમાર દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મને લોકો સામે લાવી શકાય.
Recent Comments