કોરોના સમયમાું નામ.સુપ્રિમ કોર્ટની ગાઇડ લાઇન મજુબ જેલમાંથી છુટીને દોઢ વર્ષથી ફરાર થઇ ગયેલ કેદીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી.
ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી અશોક કુમાર સાહેબ નાઓએ રેન્જના જિલ્લાઓમાં ગુનાઓ કરી , નાસતા ફરતા આરોપીઓને તથા જેલમાંથી ફરાર કેદીઓને પકડી પાડવા સુચના આપેલ હોય , અને અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જિલ્લામાં શરીર સબંધી અને મિલકત સબંધી ગુનાઓ આચરી , પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતાં આરોપીઓ તથા જેલમાંથી પેરોલ / ફર્લો તથા વચગાળાના જામીન પરથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ .
સાવરકુંડલા ટાઉન પો.સ્ટે . પ્રોહી ગુ.ર.નં -૧૧૧૯૩૦૫૨૨૦૦૧૭૦ / ૨૦૨૦ , પ્રોહી એક્ટ કલમ ૬૬ ( ૧ ) બી મુજબના ગુનાના કામે અમરેલી જિલ્લા જેલમાં કાચા કામના કેદી તરીકે સજા ભોગવતા કેદીને નામદાર સુપ્રિમ કોર્ટ દ્વારા સુઓમોટો રીટ પીટીશન નંબર ૦૧/૨૦૨૦ ના કામે થયેલ હુકમના આધારે ગુજરાત સરકારશ્રી દ્વારા તા .૨૪ / ૦૩ / ૨૦૨૦ ના રોજ પરિપત્ર નંબર જે.એલ.કે. / ૩૯૨૦૨૦ / જી.ઓ.આઇ. / ૧૩ / જે થી હાઇપાવર કમિટીની તા .૨૮ / ૦૩ / ૨૦૨૦ ની ગાઇડલાઇન તથા માર્ગદર્શન મુજબ તા .૨૮ / ૦૩ / ૨૦૨૦ ના રોજ મુક્ત કરવામાં આવેલ અને મજકુર કેદીને તા .૨૧ / ૧૨ / ૨૦૨૦ ના રોજ અમરેલી જિલ્લા જેલ ખાતે હાજર થવાનું હતું પરંતુ મજકુર કેદી જેલમાં હાજર થવાને બદલે ફરાર થઇ ગયેલ હતો .
અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી આર.કે.કરમટા નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ દ્વારા આજ તા .૨૮ / ૦૭ / ૨૦૨૨ ના રોજ પેટ્રોલીંગ દરમ્યાન ફરાર થયેલ કેદીને અમરેલી મુકામેથી પકડી પાડી , અમરેલી જિલ્લા જેલ ખાતે કેદ રહેવા સારૂ મોકલી આપવા તજવીજ કરેલ છે .
પકડાયેલ કેદીનું નામઃ ગોવિંદ રામા યાદવ , ઉ.વ .૨૨ , રહે . હાલ સમાત્રા , તા.જિ.ભુજ , મુળ રહે.ગેવટીયર , ગૌરીબજાર , જિ.ગોરખપુર , ( ઉતરપ્રદેશ ) .
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી આર.કે.કરમટા તથા એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે .
Recent Comments