અમરેલી નગરપાલિકા દ્વારા ફોરવર્ડ સ્કુલના પટાંગણમાં ભવ્ય લોકમેળાનું આયોજન કરવામાં આવેલ
કોરોના કાળની કારમી થપાટથી છેલ્લા બે વર્ષથી માનવ જીંદગીની ઘર બહારની ખુશી ઘરમાંજ કેદ થઈ ગયેલ હતી ત્યારે આ વર્ષે શ્રાવણ માસના પવિત્ર તહેવારો નિમિતે લોકોની સુખાકારી આનંદ પ્રમોદ માટે અમરેલી નગરપાલિકા દ્વારા ફોરવર્ડ સ્કુલના પટાંગણ માં ભવ્ય લોકમેળાનું આયોજન કરવામાં આવેલ છે. અવનવી રાઇડ્સ સાથે છ દિવસ સુધી લોકો મેળાનો લ્હાવો લઇ શકશે .
શ્રાવણ માસમાં જન્માષ્ટમીના પવિત્ર તહેવાર નિમિતે અમરેલીના આંગણે ફોરવર્ડ સ્કુલના વિશાળ પટાંગણમાં અમરેલી નગરપાલિકા દ્વારા આયોજિત લોકમેળો – ૨૦૨૨ નું સંદર અને ભવ્ય આયોજન કરવામાં આવેલ છે . લોકમેળો તા . ૧૫/૦૮/૨૦૨૨ થી તા . ૨૦/૦૮/૨૦૨૨ ( દિવસ – ૬ ) સુધી કાર્યરત રહેશે . આ લોકમેળામાં ખાણીપીણી , આઈસ્ક્રીમના સ્ટોલ સાથે વિશેષ ભૂતકાળમાં ન જોયેલી અને ન માણેલી રાઇડ્સનો લોકો આનંદભેર લ્હાવો લઇ શકશે . આ લોકમેળામાં ગુજરાતની હસ્તકલા સાથે ખ્યાતનામ કલાકારો ભારતીય સંસ્કૃતિ ને ઉજાગર કરી અવનવા કાર્યક્રમ યોજવામાં આવશે .
સી.સી ટીવી કેમેરાની બાજ નજર લે – ભાગું તત્વો ઉપર રહેશે . જન્માષ્ટમીના દિવસે ભવ્ય કૃષ્ણ જન્મોત્સવનું પણ ભવ્ય આયોજન કરવામાં આવેલ છે . ઘણા વર્ષો બાદ અમરેલી નગરપાલિકા દ્વારા આયોજીત લોકમેળાનો જાહેર જનતાએ બહોળી સંખ્યામાં લાભ લેવા પ્રમુખ શ્રીમતી મનીષાબેન રામાણી , ઉપપ્રમુખ રમાબેન મહેતા , કારોબારી ચેરમેન સુરેશભાઈ શેખવા , ચીફ ઓફિસર એચ . કે . પટેલ ની યાદીમાં જણાવવામાં આવે છે .
Recent Comments