અમરેલી જિલ્લાના 12 ગામોમાં કોરોનાનું સંક્રમણ વધતા ગ્રામ્ય વિસ્તારને કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરવામા આવ્યા, લોકોની અવરજવર બંધ કરવામા આવી
અમરેલી શહેરની સાથે ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ વધતા 12 ગામના વિસ્તારોને કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરવામા આવ્યા છે.12 ગામના વિસ્તારમાં સંક્રમણ વધુ ના ફેલાય તે માટે લોકોની અવરજવર પર પ્રતિબંધ મુકી દેવામા આવ્યો છે.લોકોને હોમ ક્વોરંટાઈન રહેવાનો આદેશ ક રાયો છે. ગામમાં હોમગાર્ડ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામા આવ્યો છે.
કયા કયા ગામ નો સમાવેશ.?અમરેલી તાલુકાના મોટા આંકડીયા,વાંકીયા,વડેરા,વરૂડી,બાબરા તાલુકા ના કોટડાપીઠા,બગસરા તાલુકાના હામાપુર, બગસરા તાલુકાના ધારી,જાફરાબાદ તાલુકાના ટીંબી,મોટી કુંકાવાવ વડીયા, લાઠી તાલુકાના મતીરાળા, લીલીયા તાલુકાના મોટા લીલીયા આ 12 ગામોનો સમાવેશ કન્ટેઈનમેન્ટ ઝોનમાં કરાયો છે.
જે ગામમાં 10થી વધુ કોરોનાના કેસ છે તેની યાદી જાહેર કરવામા આવીઅમરેલી જિલ્લા મેડિકલ ઓફિસર એ.કે.સિંગે કહ્યું હતું કે, જે ગામમાં 10થી વધુ કોરોનાના કેસ નોંધાયા છે તે ગામમાં નિયંત્રણો મુકવામા આવ્યા છે.જિલ્લા કલેકટર દ્વારા પણ કન્ટેઈનમેન્ટ ઝોનમાં લોકોની અવરજવર બંધ કરવા આદેશ કરાયો છે. જે લોકો કાયદાનો ભંગ કરે તેવા લોકો સામે પોલીસ ફરિયાદ નોંધવા આદેશ કર્યો છે
Recent Comments