બગસરા વિશ્વ વાત્સલ્ય ધામ ખાતે બાળ શિબિર યોજાઇ
બગસરા વિશ્વ વાત્સલ્ય ધામ ખાતે બાળ શિબિર યોજાઇ બગસરા ની સર્વોદય વિચારો સાથે કામ કરનાર બગસરાની વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ સંચાલિત લાલચંદભાઈ વોરા બાલ ભવન ખાતે સમાજ સેવી દેવચંદભાઈ સાવલિયા ની નિશ્રામાં બાલ શિબિર યોજાઈ જેનું ઉદ્દઘાટન લોકસાહિત્ય સેતુ ના પ્રમુખ મહેન્દ્રભાઈ જોશી ના હસ્તે કરવામાં આવેલ આ પ્રસંગે વિદ્યા ભારતી ના અમરેલી સંકુલ પ્રમુખ એડવોકેટ ઈતેશભાઈ મહેતા અને મહેન્દ્રભાઈ જોશીએ બાળકો ને વાર્તા તેમજ અભિનય ગીત થી બાળકો ને જ્ઞાન સાથે ગમ્મત કરવી ને આઝાદી ના અમૃત મોહોત્સવ નિમિતે બાલ શહીદો ની પુસ્તક વાચન કરવા આહવાન કરેલ શિબિર માં શ્રેષ્ઠ વાચન અને કથન કરનાર બાળકો ને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ આ સુંદર મજાનું આયોજન ને નું. સંચાલન અરવિંદભાઈ રાઠોડે અને અંત માં આભાર વિધિ જાની એ કરેલ
Recent Comments