અમરેલી શહેરમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું
અમરેલી શહેરમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા જિલ્લા કલેકટરને આપવામાં આવેદનપત્રઆવ્યું જેમાં
ખેડૂતોને આપવામાં આવતી પાક ધિરાણ લોન ત્રણ લાખ સુધી 0 ટકા વ્યાજ આપવાની સરકારની યોજના છે તેમ છતાં રાષ્ટ્રીયકૃત બેંકો દ્વારા ખેડૂતો પાસેથી દર વર્ષે ૭ ટકા લેખે વ્યાજ વસૂલવામાં આવે છે ગયા વર્ષના વસુલેલા વ્યાજની રકમ અનેક ખેડૂતોને હજુ સુધી રિફન્ડ મળી નથી
અમુક બેંકમાં તો બે વર્ષથી ખેડૂતોના પૈસા ફસાયેલા છે બેન્ક અધિકારીઓ દ્વારા કહેવામાં આવે છે કે રાજ્ય સરકાર દ્વારા બેંકોને વ્યાજની રકમ ચુકવાઇ નથી એટલે અમે ખેડૂતોને આપી શકીએ નહીં હાલ સરકારે જાહેરાત કરી હતી કે ખેડૂતોને વ્યાજની રકમ રિફંડ મળી ગઈ છે પરંતુ હંમેશાં મીડિયા થકી ગુજરાતની જનતાને ગુમરાહ કરતી સરકારે ફરી વાર મીડિયાના માધ્યમથી બનાવી ખેડૂતોને ગુમરાહ કર્યા છે સાથે જ ખેડૂતો સાથે છેતરપિંડી કરી છે બેન્કો અને સરકારના મિસ મેનેજમેન્ટના કારણે ગુજરાતના ખેડૂતોના કરોડો રૂપિયા બેંકમાં ફસાયેલા છે જે રકમ તાત્કાલિક ધોરણે ખેડૂતોના ખાતામાં પરત કરવામાં આવે તે બાબતે જિલ્લા કલેક્ટરને આપવામાં આવ્યો આવેદનપત્ર
સામે ચોમાસુ વાવણી ની સિઝન છે ખેડૂતોને ખાતર, બિયારણ, દવા , મોંઘું ડીઝલ ખરીદવા પૈસાની તાતી જરૂરિયાત છે ત્યારે સરકારે ખેડૂતોના બાકી લેણાં પરત ચૂકવી દેવા જોઈએ આમ આદમી પાર્ટી ગુજરાત ખેડૂતોના પડખે ઊભી રહી છે અને જરૂર પડે ખેડૂતો માટે સંઘર્ષ કરતાં જરાય અચકાઈ નથી જો દસ દિવસમાં સરકાર ખેડૂતોના ખાતામાં વ્યાજ સબસીડી પૂરેપૂરી રકમ પરત નહીં આપે તો આમ આદમી પાર્ટી રાજ્યવ્યાપી આંદોલન કરવા મજબૂર થશે ખેડૂતો ના હકક અને જરૂરિયાતને ધ્યાનમાં રાખી તાત્કાલિક રકમ ચૂકવી આપવામાં આવે તેને લઈને અમરેલી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું
Recent Comments