fbpx
અમરેલી

ગાંધીબાગનું સ્વામિનારાયણ સંસ્થા (બી.એ.પી.એસ.) સંતોની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવશે

ભાજપ શાષિત અમરેલી નગરપાલિકા ના સતાધીશો એ હંમેશા લોકોની સુખાકારીની દિશામાં નિર્ણાયક પગલા ભરેલ છે . જેના ભાગ રૂપે શહેરના એક માત્ર ગાંધીબાગનું સંચાલન સ્વામિનારાયણ સંસ્થા ( બી.એ.પી.એસ. ) ને સોપી શહેરની એક ભવ્ય નવી ઓળખ ઉભી કરેલ છે . જન સુવિધા અર્થે નવનિર્મિત ગાંધીબાગનું સંતો – મહંતો , મહાનુભાવોની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવશે . અમરેલી શહેરના એકમાત્ર ગાંધીબાગને અવનવી સુવિધા સભર બનાવવા માટે અમરેલી નગરપાલિકા એ સ્વામિનારાયણ સંસ્થાને સોપવામાં આવેલ છે .

સ્વામિનારાયણ સંસ્થા ( બી.એ.પી.એસ. ) ને વિશ્વભરમાં ડીસીપ્લીન , ધાર્મિકતા સાથે આગવી ઓળખ ઉભી કરેલ છે . ત્યારે અમરેલીના આંગણે ગાંધીબાગની એક નવી ઓળખ ઉભી કરવા સ્વામિનારાયણ સંસ્થાએ બીડું ઝડપેલ હતું. ગણતરીના દિવસોમાં રાત દિવસ કામ ચાલુ રાખી સ્વામિનારાયણ સંસ્થા દ્વારા ગાંધીબાગ નું નવ નિર્માણ કરેલ છે . આ નવનિર્મિત ગાંધીબાગનું તા.૦૬ /૦૮ / ર ૦ રર ના રોજ સાંજના ૦૪:૦૦ કલાકે માન . શ્રી દિલીપભાઈ સંઘાણી ( ચેરમેન શ્રી ઇફકો , ગુજકોમાસોલ ) , પ.પુ. જ્ઞાનેશ્વર સ્વામી ( કોઠારી સંત શ્રી સ્વામિનારાયણ મંદિર (બી.એ.પી.એસ.) સાળંગપુર ના વરદહસ્તે લોકાર્પણ કરવામાં આવશે

કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરીયા રહેશે . અતિથી વિશેષ શહેર ભાજપ પ્રમુખશ્રી ભાવેશભાઈ સોઢા , અમરડેરી ચેરમેન અશ્વિનભાઈ સાવલિયા રહેનાર હોવાનું નગરપાલિકા પ્રમુખ શ્રીમતી મનીષાબેન રામાણી , ઉપપ્રમુખ રમાબેન મહેતા , કારોબારી ચેરમેન સુરેશભાઈ શેખવા , ચીફ ઓફિસર એચ . કે . પટેલ ની યાદીમાં જણાવવામાં આવે છે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/