fbpx
અમરેલી

ચૂંટણી પ્રક્રિયા દરમિયાન જિલ્લામાં હથિયાર પરવાનેદારોએ ધારણ કરેલ હથિયારો ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ

અમરેલી જિલ્લાની તમામ વિધાનસભા બેઠકોની સામાન્ય ચૂંટણીનું મતદાન તા.૦૧ ડિસેમ્બર,૨૦૨૨ના રોજ યોજાશે. ભારતના ચૂંટણી આયોગ તરફથી આદર્શ આચારસંહિતા બહાર પાડવામાં આવી છે. આ આદર્શ આચારસંહિતાનો અમલ ચૂસ્તપણે તમામ રાજકીય પક્ષો અને ચૂંટણી લડતા ઉમેદવારો અને  કાર્યકરોએ કરવાનો હોય છે. મુક્ત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજાય તે માટે આ આદર્શ આચારસંહિતા અમલી છે. આ અનુસંધાને શસ્ત્ર અધિનિયમ-૧૯૫૯ની કલમ-૨ અન્વયે જિલ્લાના સમગ્ર વિસ્તારમાં કોઈપણ વ્યક્તિએ કોઈપણ હથિયાર ધારણ કરી ફરવું નહીં, સમગ્ર જિલ્લાના વ્યક્તિગત પ્રકારના હથિયાર પરવાના ધારકો તથા જિલ્લા બહારથી મેળવેલ હથિયાર પરવાનો ધારણ કરનાર વ્યક્તિઓ કે જેઓ હાલ અત્રેના જિલ્લામાં વસવાટ કરતા હોય તેવા તમામ હથિયાર પરવાનેદારોએ તેમના હથિયારો આ જાહેરનામું પ્રસિદ્ધ થયાના તારીખથી દિન-૫માં સંબંધિત પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાના રહેશે. જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા હથિયાર પ્રતિબંધ બાબતે ભારતીય ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ (વર્ષ ૧૯૭૪નો બીજો અધિનિયમ)ની કલમ-૧૪૪ અન્વયે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામું ચૂંટણી પ્રક્રિયા તા.૧૦ ડિસેમ્બર, ૨૦૨૨ પૂર્ણ થાય ત્યાં સુધી અમલમાં રહેશે ઉપરાંત હુકમનો ભંગ કરનાર ધી ઇન્ડિયન પીનલ કોડની કલમ-૧૮૮ હેઠળ સજાને પાત્ર થશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/