શ્રીજી વિદ્યાર્થી ભુવનમાં ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું.
શિક્ષણ અને સંસ્કાર માટે સુવિદિત એવા શ્રીજી વિદ્યાર્થી ભુવન માં ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું.
ગણેશ ચતુર્થી નિમિત્તે વિઘ્નહર્તા ગણેશજી નું રંગે ચંગે ધામધૂમ પૂર્વક સામૈયું કરીને સ્થાપન કરવામાં આવ્યું…. ગણેશજી ને પ્રિય લાડું નો થાળ ધરાવી પૂજા, અર્ચન અને આરતી કરી સૌ વિદ્યાર્થીઓ તથા શિક્ષકોએ દર્શન નો લાભ લીધો સંસ્થાના સંચાલક દંપતિશ્રી દિપકભાઈ વઘાસિયા અને વિલાસબેન વઘાસીયાએ ગણેશજી ની આરતી અને પૂજન સાથે સંસ્થાના બધા વિદ્યાર્થીઓએ સ્વાગત કરેલ હતું. દર વર્ષની પરંપરા મુજબ સંસ્થામાં ઈકોફ્રેન્ડલી મૂર્તિનું સ્થાપન કરવામાં આવેલ છે.
સંસ્થાના વિદ્યાર્થીઓ દ્વારા ગણેશ વંદના તેમજ ગણેશજીના મહાતમ્ય અંગે વક્તવ્યો આપવામાં આવ્યા. ગણેશજી લાડું નો થાળ ધરાવીને આજે બપોરના ભોજન મા વિદ્યાર્થીઓને પ્રસાદીના લાડું નું જમણ આપવામાં આવેલ.
Recent Comments