ભાવનગર શિશુવિહારમાં ૧૯૮૦ થી અવિરત ચાલતી બુધસભાની ૨૧૪૦ મી બેઠક યોજાઈ
ભાવનગર શિશુવિહાર માં ૧૯૮૦ થી અવિરત ચાલતી શિશુવિહાર બુધસભા ની તા.૧/૯/૨૧ ના રોજ ૨૧૪૦ મી બેઠક યોજાઈ..ડો. પથિક ભાઈ પરમાર ની વિશેષ ઉપસ્થિતિ અને સંચાલન માં કાવ્ય આસ્વાદ અંતર્ગત કવયિત્રી જયશ્રી બા ગોહિલ દ્વારા કવિશ્રી ‘અનિલ ચાવડા ‘ ના કાવ્ય નો આસ્વાદ થયો.બુધસભા ના વરિષ્ઠ દિવંગત કવિશ્રી પરાજિતભાઈ ડાભી ને તેમના અતરણ દિવસ અને પુણ્ય તિથિ એ તેમની રચના દ્વારા કાવ્યાંજલિ અર્પી ‘શબ્દદેહે’ જીવંત કવિ ને અંજલિ આપી હતી. સૌ કવિ દ્વારા તેમની રચના ઓનુ પઠન થયું. સૌ ની રચનાઓ વિશેષ રહી..સૌ કવિ મિત્રો, ભાવકો એ કાવ્ય પાઠ પ્રસ્તુતિ નો રસાસ્વાદ,કાવ્ય આસ્વાદ માણ્યો… બુધસભા એ વિરામ લીધો હતો
Recent Comments