fbpx
રાષ્ટ્રીય

મોદીએ કહ્યું- અફઘાનિસ્તાનના હિંદુ અને શીખ નાગરિકોને ભારતમાં આશરો આપીશું

અફઘાનિસ્તાનની સ્થિતિને લઈને ઁસ્ નિવાસ સ્થાને મંગળવારે બેઠક મળી, જેમાં વડાપ્રધાન મોદીએ અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયોને સકુશલ પરત કરવાના સુનિશ્ચિત કરવાના નિર્દેશ આપ્યા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ઁસ્ મોદીએ કહ્યું કે ભારત આવતા દરેક અલ્પસંખ્યકની મદદ કરવામાં આવશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ બેઠકમાં ગૃહ મંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને દ્ગજીછ અજીત ડોભાલ ઉપસ્થિત રહ્યાં હતા.સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, વડાપ્રધાન મોદીએ બેઠકમાં તમામ સંબંધિત અધિકારીઓને આગામી દિવસોમાં અફઘાનિસ્તાનથી ભારતીય નાગરિકોની સુરક્ષિત વાપસી સુનિશ્ચિત કરવા માટે તમામ આવશ્યક ઉપાય કરવાના નિર્દેશ આપ્યા છે.એક વરિષ્ઠ અધિકારી મુજબ વડાપ્રધાન મોદીએ એમ પણ કહ્યું છે કે ભારતને માત્ર પોતાના નાગરિકોની રક્ષા કરવી જાેઈએ, પરંતુ અમે તે શીખ અને હિંદુ અલ્પસંખ્યકોને પણ આશરો આપશે જે ભારત આવવા માગે છે, અને અમે દરેક સંભવ મદદની પ્રદાન કરવી જાેઈએ. મદદ માટે ભારત તરફ જાેતા આપણાં અફઘાન ભાઈઓ અને બહેનોની મદદ કરવી જાેઈએ.નાણાં મંત્રી ર્નિમલા સીતારમણ પણ આ બેઠકમાં ઉપસ્થિત છે. દ્ગજીછ અજીત ડોભાલ દ્વારા અફઘાનિસ્તાનની સ્થિતિ મુદ્દે રજૂઆત કરવામાં આવી રહી છે. આ બેઠકમાં પ્રાદેશિક રાજકારણ, રાજદ્વારી સ્થિતિ સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી રહી છે.રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે એક નિવેદનમાં કહ્યું છે કે તમામ મહત્વના દેશો સાથે સતત સંપર્ક કરવામાં આવી રહ્યો છે. અફઘાનિસ્તાનમાં ખૂબ ઝડપથી સ્થિતિ બદલાઈ રહી છે.અલબત અશરફ ગનીએ દેશ છોડ્યો ત્યારબાદ એ બાબત સ્પષ્ટ નથી કે નવી સરકારનું સ્વરૂપ કેવું હશે.બીજી બાજુ ભારત અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવા માટે સતત પ્રયત્ન કરી રહ્યું છે. આજે ભારતીય વાયુસેનાનું વિમાન ૧૫૦ ભારતીયોને લઈ દેશ પરત ફર્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/