સરકારે 3 કરોડ પાકા મકાન, 10 કરોડ સૌચાલય, 9 કરોડને ગેસ સિલીન્ડર અને 50 કરોડને 5 લાખ સારવારની સુવિધા આપી : મોદી
ગુજરાતની મુલાકાત દરમિયાન 8 વર્ષમાં કરવામાં આવેલા કામોને લઈને પી.એમ એ કહ્યું હતું કે, ભાજપની સરાકેર ત્રણ કરોડથી વધુના પાકા ઘરો દસ કરોડથી વધુ લોકોને ખુલ્લામાં શૌચ કરવાથી મુક્તી, 9 કરોડથી વધુ બહેનોને ધુમાડાથી મુક્તી, અઢી કરોડથી વધુ ગરીબ પરિવારોને વિજળીનું કનેકશન, 6 કરોડ થી વધુ પરિવારને નળ સે જલ,પચાસ કરોડથી વધુ ભારતીયોને પાંચ લાખ રૂપિયા સુધી મફત સારવારની સુવિઘા આ માત્ર આંકડા નથી પરંતુ ભાજપ સરકારે આપેલ કામનું પ્રમાણ છે.
આજે આખો દેશ જોઇ રહ્યો છે 100 વર્ષના સૌથી મોટા સંકટ કોરોના મહામારીના સમયમાં દેશે અનુભવ કર્યો . મહામારીમાં ગરિબ સામે ખાવા પિવાની સમસ્યા સર્જાઇ તો દેશના અન્ન ભંડાર દેશવાસીઓ માટે ખોલી દીધા,મહિલાઓને સન્માનથી જીવે તે માટે જનઘન ખાતા દ્વારા સિધા રૂપિયા જમા કરવામાં આવ્યા,ખેડૂતોના ખાતામાં રૂપિયા જમા કરવામાં આવ્યા. ભાજપ સરકારે મફત ગેસ સિલિન્ડર આપવાની વ્યવસ્થા કરી જેનાથી ગરીબના ઘરનો ચુલો સળગી રહે.
વડાપ્રધાનશ્રી મોદી સાહેબે જણાવ્યું કે, કોરોનામાં ટેસ્ટીગથી લઇ સારવાર ગરિબ માટે આપવાની શરૂઆત કરી. દરેક ભારતીયને ફ્રીમાં રસી મળે તે માટે ભાજપ સરકારે ચિંતા કરી. રશિયા અને યુક્રેનના યુદ્ધને સમાચાર દરેકને ચિંતિંત કર્યા ત્યારે આપણા દેશના ગરીબ,મધ્યમ વર્ગના લોકોને કપરી સ્થિતિનો સામનો ન કરવો પડે તેની ચિંતા સરકારે કરી.
Recent Comments